જે પ્રમાણે સમગ્ર વિશ્વમાં દિવસેને દિવસે અનેક સમસ્યાઓ વધી રહી છે તેનું મુખ્ય કારણ છે વૃક્ષોનું નિકંદન આજે સમગ્ર વિશ્વમાં લોકો ઉદ્યોગો વધારવા માટે દિવસેને દિવસે જંગલોનું વિનાશ કરી રહ્યા છે જેના કારણે રોજેરોજ લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ખાસ કરીને ઓછા થતા વૃક્ષોના કારણે આજે મોટાભાગના અનેક જંગલો લુપ્ત થઈ રહ્યા છે જેના કારણે આજે લોકો અનેક મોટી બીમારીઓનો સામનો કરી રહ્યા છે આજે લોકોના જેવા પૈસા કમાવા માટે રોજેરોજ અસંખ્ય વૃક્ષો કાપી રહ્યા છે જેના કારણે આજે વૃક્ષોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહે છે ત્યારે આવા સમયે હવે ડીસા ખાતે કાર્યરત સમર્પણ ગ્રુપ દ્વારા બનાસકાંઠા જિલ્લાને હરિયાળું બનાવવા માટે અભિયાન શરૂ કરી છે અને અત્યાર સુધી આ ગ્રુપ દ્વારા વિચારોની સંખ્યામાં જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવી છે અને તેનો ઉછેર પણ આ ગ્રુપ દ્વારા જ કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાનું થેરવાડા ગામ એટલે શિક્ષણમાં અગ્રેસર, આર્થિક રીતે સમૃદ્ધ, સામાજિક સમરસતાનું આગવું ઉદાહરણ પૂરું પાડતા સાહસિક લોકોનું ગામ જ્યાં સમર્પણ વન અભિયાન અંતર્ગત થેરવાડા ગામ ના ઠાકોર સમાજની અંત્યોષ્ઠીની ભૂમિમાં અને મહાકાળી માતાજી મંદિર વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આજે યોજાયેલ આ કાર્યક્રમમાં ગામના દરેક વડીલ અને સમર્પણ પ્રમુખ આનંદ પટેલ શાંનતિ ભાઈ ચૌધરી ડોકટર રમેશભાઈ ભાઈ થેરવાડા ગામા સરપંચ ચૌધરી કરમશીભાઈ ધરમાભાઈ, ચૌધરી રૂપાભાઈ મોતીભાઈ તેમજ ચૌધરી આંબાભાઈ કરશનભાઈ થેરવાડા ઠાકોર બળવતજી જગમાલજી દશરજી મોરજી ઠાકોર ધારસીજી મેવાજી કીલ્લા સતાજી વગેરે ઠાકોર સામાજ યુવા મિત્રો અને ગ્રામ જણો ઉપસ્થિત રહા હતા.