થરાદ ની મુખ્ય કેનાલમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેને લઈ આજ રોજ થરાદ ની મુખ્ય કેનાલ માં ઢીમા પુલ પાસે કોઈ યુવતીએ મોત ની છલાંગ લગાવી હોવાનો કોલ ફાયર ફાઈટર ટીમ ને મળતા તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી શોધખોળ ચાલુ કરી હતી 30 મીનીટ ની શોધખોળ બાદ યુવતી નો મૂર્તદેહ મળી આવ્યો હતો.જેની પ્રાથમિક તપાસ કરાતા તેની ઓળખ દરિયાબેન પ્રકાશભાઈ પઢીયાર હોવાનું બહાર પડ્યું જેને લઈ પરિવાર જનો જાણ કરતા પરિવાર ના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહ ને ઘરે લઈ ગયેલ હતા કોઈ કારણો સર કેનાલ માં જંપલાવી મોત ને વહાલું કર્યું તેનું કારણ અકબંધ છે.