સેદ્રાસણ ગામમાં અજાણ્યા ઈસમો દ્વારા લગાડેલા વિવાદિત બોર્ડ દુર કરાયા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સેદ્રાસણ ગામમાં અજાણ્યા ઈસમો દ્વારા લગાડેલા વ્યાપાર માટે મુસ્લિમ લોકો એ ગામ માં આવવું નહીં એવા વિવાદિત બોર્ડ ગામ ના આગેવાનો દ્વારા દૂર કરવામાં આવેલ છે. સેદ્રાસણ ગામે મુસ્લિમ સમાજ માંથી આવતા ફેરિયાઓ (વ્યાપારી) ના પાસેથી કોઈ ખરીદી ન કરવી તે કે ગામ માં પ્રવેશ ન કરવા બાબતે બોર્ડ લગાવેલ જે વહીવટ દાર શ્રી સેદ્રાસણ દ્વારા ઉતારી લેવા માં આવેલ છે. તેમજ ગામ માં આવા અન્ય કોઈ બોર્ડ લગાવવા માં આવેલ નથી તેની સ્થળ ચકાસણી કરી વહીવટદાર શ્રીએ તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા જાણ કરવામાં આવી છે. તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી પાલનપુરની અખબારી યાદી માં જણાવ્યું છે… થોડા દિવસ પહેલા જ થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવતા ફેરીયા ઓ ના આવા પર ગ્રામ પંચાયત નો લેટર વાયરલ થયો હતો જેની તપાસ કરતા કોઈ લોકોએ લેટર પેડનો દૂર ઉપયોગ કર્યા નું સરપંચ મહિલા ઉમેદવારે જણાવ્યું હતું, ત્યાર બાદ મીડિયા સામે નિવેદન આપ્યું હતું..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *