હૈદરાબાદમાં PM મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું, પરિવારવાદ યુવાનોના સપનાને કચડી નાખે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેલંગાણાની રાજધાની હૈદરાબાદની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે બેગમપેટ એરપોર્ટ પર બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. વિપક્ષો પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે આજે પરિવારની પાર્ટીઓના કારણે દેશમાં યુવાનોના સપનાને કચડી નાખવામાં આવી રહ્યું છે.પીએમ મોદીએ બીજેપી કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે તેમની રાજનીતિ માત્ર એ વાત પર કેન્દ્રિત છે કે જો કોઈ પરિવાર કોઈપણ રીતે સતત સત્તા પર કબજો કરી શકે અને લૂંટફાટ કરી શકે તો તેઓ લૂંટ કરતા રહે છે. પરિવારવાદના પક્ષો જ પોતાનો વિકાસ કરે છે. પોતાના પરિવારના સભ્યોની તિજોરી ભરે છે. આ પારિવારિક પક્ષોને ગરીબોની પીડાની ચિંતા નથી.પીએમ મોદીએ વધુમાં કહ્યું કે પરિવારવાદના કારણે દેશના યુવાનો અને પ્રતિભાઓને દેશના રાજકારણમાં આવવાની તક પણ મળતી નથી. કુટુંબવાદ તેમના દરેક સપનાને કચડી નાખે છે. તે તેમના માટે દરેક દરવાજા બંધ કરે છે.નોંધનીય છે વડાપ્રધાન મોદીનો ઈશારો કોંગ્રેસના ગાંધી પરિવાર પર હતો. કોંગ્રેસ પક્ષ ધીરે ધીરે હસ્યામાં ધકેલાય ગયો છે. એક જ પરિવાર છેલ્લા ઘણા સમયથી પાર્ટીના ફેંસલા લે છે અને બીજા લોકોને તક આપવામાં આવતી નથી જેથી કોંગ્રેસમાંથી વંશવાદને કારણે પાર્ટી ખતમ થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *