ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચવા માટે ૧૫/૦૫/૨૦૨૨ થી આમ આદમી પાર્ટીની 182 બેઠકો પર પરિવર્તન યાત્રા શરૂ થઈ છે. રાજ્યના 6 અલગ અલગ સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પરિવર્તન યાત્રા આજ રોજ તા -૨૬/૦૫/૨૦૨૨ ના રોજ વાવ ખાતે પહોચી વાવ શહેર માં આમ આદમી પાર્ટી થકી લોકો ને જાગૃત થવા નો સંદેશો આપ્યો હતો.આજ ની રેલી વાવ એસાર પેટ્રોલ પમ્પથી લઈને વાવ પોલીસ સ્ટેશન વિસ્તાર સુધી યોજાઈ હતી તેમજ વાવ ના મહારાણા પ્રતાપ ના સ્ટેચ્યુ ને હારમાળા પહેરાવી હતી ધન્યતા અનુભવી હતી આજ ની આ રેલી માં ગુજરાત પ્રદેશ આપ ના ઉપાધ્યક્ષ ભેમજીભાઈ ચૌધરી કિશાન સંગઠન ના પ્રમુખ સાગરભાઈ રબારી તેમજ વાવ આપ ના પ્રમુખ કે.કે.રાજપૂત સહીત કિશાન મોરચા ના ગુજરાત પ્રદેશ ના મંત્રી ભુરાજી રાજપૂત (આઝાદ),છગનભાઈ ઠાકોર, , (બનાસકાંઠા પ્રભારી )પરેશભાઈ પટેલ, ભરત ચૌધરી સુઈગામ તા.પ્રમુખ ,રામસેગ ભાઈ રાઠોડ વાવ પ્રભારી ,વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના સ્થાનિક નેતાઓ સહીત પાર્ટીના કાર્યકરો તેમજ લોકો હાજર રહ્યા હતા .