આજથી ભાજપની ચિંતન શિબિર અમદાવાદમાં ભાજપની સીઆર પાટીલ અને કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી છે. ખાસ કરીને આ બે દિવસમાં ચિંતન શિબિરમાં રાજ્ય સરકાર અને સંગઠન દ્વારા પ્રેઝન્ટેશ રજૂ કરવામાં આવ્યું છે. ચિતન શિબિરની અંદર રાજ્ય સરકાર દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું, સરકારની છબી વર્તમાન સમયમાં કેવી છે. જનતાના મનમાં શું છબી છે. તમામ મંત્રીઓને પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં કયા જિલ્લામાં કયા મંત્રીની લોકોમાં કેટલું માન સમ્માન છે લોકો તેમના કામથી કેટલા ખુશ છે.
જિલ્લાની શુ પરિસ્થિતિ છે, ભાજપ જિલ્લામાં કેટલું મજબુત છે જ્યાં કોંગ્રેસ છે ત્યાં પ્રભારી મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ કઈ કામગિરી કરી છે અને કઈ કામગિરી બાકી છે. કયા મંત્રીનો કેટલા દિવસનો પ્રવાસ કેટલીવાર રહ્યો એ તમામ બાબતોની ચર્ચા પ્રેઝન્ટેશનના આધારે કરવામાં આવશે.
બજેટ એલોકેશન કરવામાં આવ્યું છે. તેના કારણે લોકોમાં કેવા પ્રકારની ઈમે જ છે. કેવી રીતે બજેટ યુટીલાઈઝ થયું છે. વર્તમાન સરકારમાં નવી
સરકાર મંત્રી મંડળો સાથે બની હતી. તમામ ચહેરાઓ નવા આવ્યા છે. જનમાનસમાં ઈમેજ કેવા પ્રકારની છે. જે રીતે મુખ્યમંત્રી સહીતના મંત્રીઓની કામગિરી કેવી છે સરકાર કયા ફોકસ પર કામ કરી રહી છે.