ધાનેરા લાધાપુરા વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે ધાનેરા જુમ્મા મસ્જિદના પેશ ઈમામ મૌલાના બિલાલસાબની આગેવાની હેઠળ ઈદની નમાઝ પઢવામાં આવી હતી.જેમા હજજારો મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી સમગ્ર દેશમાં ભાઈચારો અને એકતા અને શાંતિ જળવાઈ રહે તે માટે અલ્લાહ એટલે કે ભગવાનને દુવા કરી હતી અને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદ આપવામાં આવી હતી. આજે ઈદના તહેવાર નિમિત્તે ધાનેરા પોલીસ દ્વારા ખુબજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.