બનાસ બેંકના ચેરમેન અણદાભાઈ પટેલે ચેરમેન પદેથી આજે રાજીનામું આપ્યું. બનાસ બેંકના ચેરમેન બન્યા બાદ આજે અચાનક જ તેમણે રાજીનામું આપતાં સહકારના રાજકારણમાં ખળભળાટ આવ્યો છે ભાજપના પ્રમુખ આર પાટીલને વારંવાર ફરિયાદો મળતા આખરે આજે બનાસ બેંકના ચેરમેન અણદાભાઇ પટેલે પોતાનું સ્વેચ્છિક રાજીનામું આપી દીધું છે જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં રાજકારણ ગરમાયું છે . બનાસ બેંકના ચેરમેનપદે અણદાભાઈ પટેલની નિયુક્તિ બાદ અનેક વિવાદો સામે આવ્યા હતા. સતાધારી ભાજપ પક્ષના જ કેટલાક આગેવાનો તેમની કાર્યપદ્ધતિ નારાજ હતા. જ્યારે બેંકના ચેરમેન બાદ કરેલા નિર્ણયોને લઈને નિયામક મંડળના સભ્યો પણ નારાજ હતા. આ સમગ્ર મામલે પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલને વારંવાર ફરિયાદો મળતા આખરે આજે બનાસ બેંકના ચેરમેન અણદાભાઇ પટેલે આજે 11 વાગ્યાંના સમયે જિલ્લા રજીસ્ટર આર પી ખરાડીને પોતાનું સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હતું