વાવનાં ચોથાનેસડા ગામે ઉનાળાનાં પ્રારંભે પીવાના પાણી ની પારાયણ

સરહદી વાવ તાલુકામાં ઉનાળાનાં પ્રારંભે જ પીવાનાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે.તો વળી રણકાંઠાને અડીને આવેલ ગામડાઓમાં પીવાનું પાણી નહિ મળતાં ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યાં છે.વાવ તાલુકાનાં ચોથાનેસડા ગામ 4000ની વસ્તી ધરાવતું ગામ છે.ત્યારે છેલ્લાં દસ દિવસથી પીવાનું પાણી નહીં મળતું હોવાથી મહિલાઓ પાણી માટે ઉનાળાનાં પ્રારંભે જ હલાકીઓ ભોગવી રહ્યાં છે.જો કે ગ્રામજનો તંત્ર સામે લડી લેવાનાં મૂડમાં છે.ત્યારે ગામમાં રહેતાં ગ્રામજનો સહિત પશુપાલકોની હાલત કફોડી બની છે.સત્વરે પીવાનું પાણી ચાલુ થાય એવી માંગણી કરી રહ્યાં છે. તો બીજી બાજુ મળતી માહિતી મુજબ વાવ તાલુકાનાં તખતપુરા રામઆશરા મુખ્ય સંપમાંથી ચોથનેસડામાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે.ત્યારે રામઆશરા સંપથી લઈને છેક ચોથાનેસડા ગામ સુધી ખેતરોમાં બિનકાયદેસર મેઈનલાઈનમાંથી કનેક્શન લીધેલ હોવાથી પીવાનું પાણી મળતું નથી.ત્યારે પાણી પુરવઠા નિગમ દ્વારા સત્વરે આવા ભૂતિયા કનેક્શન કાપી પીવાનાં પાણીનો જથ્થો પૂરતો કરે તેવી માંગ ઉઠી છે

વધુમાં આ અંગે ચોથાનેસડાનાં સરપંચ પરાગભાઈ રાજપુતે ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું હતું કે દસ દિવસથી પીવાનું પાણી આવતું નથી જોકે ખેતરોમાં બિનકાયદેસર કનેક્શન હોવાથી પાણી મળતું નથી.સત્વરે પાણી નહિ મળે તો આગામી દિવસોમાં થરાદ પ્રાંત અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ આવેદનપત્ર આપીશુ.અને જરૂર પડશે તો ઉગ્રઆંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવશે તેમ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *