વાવ માં ધંધુકા અને રાધનપુર ના પ્રકરણ ને લઈને ભવ્ય રેલી તેમજ આવેદન પાઠવાયું

બનાસકાંઠા ના વાવ ખાતે ધંધુકા માં કિશન ભરવાડ ની હત્યા તેમજ  રાધનપુર ના શેરગઢ યુવતી ના હુમલા ની  ઘટના ને લઈને  હિન્દૂ સમાજ ના  સંગઠનો દ્વારા બંધ એલાન અપાયું હતું જેના ભાગ રૂપે સરહદી વિસ્તારો માં આ પ્રકરણ ના ધેરાપ્રત્યા ધાતો પડ્યા છે આજે દિવસ ભર વાવ ની બજારો બંધ રહી છે હિન્દૂ સંગઠનો મળી ભર બજાર માં  જય શ્રી રામ ના સૂત્રોચ્ચાર કરી ભવ્ય રેલી નીકાળી ને  મામલદાર કચેરી એ આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં બંને ઘટના માં આરોપી ઓ ને ફાસ ટ્રેક કોર્ટમાં કેશ ચલાવી તેમને કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે  અને સમાજ માં દાખલો બેસાડવામાં આવે તેવી માંગ કરી હતી અને સરહદી વિસ્તારો માં  રાધનપુર માં અધિકૃત કે બિનઅધિકૃત હથિયારો ને ચેક કરવામાં આવે કોઈ ગુન્હો બનેલ હોય તેના પાસે લાયસન્સ રદ કરવાની માંગ સાથે આવેદન પાઠવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *