ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ગંદા પાણીથી સ્થાનિક લોકો પરેશાન

દરેક શહેરનો વિકાસ તેની સુંદરતા અને વિકાસના આધારે હોય છે. ત્યારે ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન ચાલી રહી છે અને તેમના શાસનમાં અત્યાર સુધી ડીસા શહેરમાં અનેક વિસ્તાર ના કામો પણ થયા છે અને હાલમાં ચાલુ પણ છે પરંતુ આજે પણ ડીસા શહેરમાં એવા અનેક વિસ્તારો છે જ્યાં આજે પણ લોકો ખરાબ રસ્તાઓ ખરાબ ગટરો અને લાઇટની વ્યવસ્થા ન હોવાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે ડીસા શહેરના રિજમેન્ટ વિસ્તારમાં આવેલ મહાદેવજીના મંદિરની પાસે સોથી પણ વધુ પરિવાર વસવાટ કરે છે પરંતુ બાજુમાં આવેલી સોસાયટીનું ગંદુ પાણી ગટરો મારફતે આ વિસ્તારમાંથી પસાર થતા આ વિસ્તારના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ખાસ કરીને ગટરના ગંદા પાણીના કારણે આ વિસ્તારમાં લોકો નથી તો રસોઈ બનાવી શકતા કે નથી તો અહીંથી પસાર થઈ શકતા. એક બાજુ કોરોનાવાયરસ ની મહામારી એ માથું ઉચક્યું છે તો બીજી તરફ સતત આ વિસ્તારમાં ગંદકીના કારણે બીમારીનું પ્રમાણ વધવાનો ડર લોકોને સતાવી રહ્યો છે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા ઘટનાઓનો યોગ્ય નિકાલ કરવા માટે અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં પણ આજદિન સુધી આ વિસ્તારમાં ગટર વ્યવસ્થા ન કરવામાં આવતા આખરે આજે આ વિસ્તારની મહિલાઓએ કંટાળીને નગરપાલિકા વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક ધોરણે જો આ નાણીઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *