હવામાનમાં પલટો,ખેતી પાકને નુકસાન થવાની ભીતિ થતી ખેડૂતોને ચિંતિત બન્યા

બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ બન્યું હતું. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતા તાપમાનનો પારો વધી  ગયો હતો. ડીસામાં ચાર ડિગ્રી તાપમાન વધતા  આજે 16.4 લઘુતમ તાપમાન ડિગ્રી નોંધાયું હતું.ડીસામાં વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાતા લોકોએ આહલાદક વાતાવરણ ની મજા માણી હતી. તો બિજી તરફ ખેતી પાકને નુકસાન થવાની સંભાવના વધી ગઈ છે. ખાસ કરીને બનાસકાંઠા જીલ્લામાં જીરુ, રાયડો અને બટાકા નું મહત્તમ વાવેતર થયું છે અને આવા વાતાવરણને કારણે ખેતી પાક માં સુકારો નામનો રોગ આવવાની શક્યતાઓ વધી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે આ રોગથી બચવા માટે પિયત કરવાનું ટાળવું જોઇએ અને ફૂગનાશક દવાનો છંટકાવ કરે તો પાકને નુકસાનથી બચી શકાય તેમ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક જે કે પટેલે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *