સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે આજરોજ તા -૦૧/૧૦/૨૦૨૧ ના તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી કેડર ને લગતા વિવિધ પડતર પ્રશ્નો ને લઈ ને દિન 01 ની CL મૂકીને પ્રતિક ઉપવાસ તેમજ ધરણા યોજાયા હતા રાજ્ય સરકારમાં તલાટી ક્રમ મંત્રીઓ પડતર માંગણીઓ ને લઈને વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે. તો બીજી બાજુ સરકાર તરફથી કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. હવે તલાટી મહામંડળે પોતાની પડતર માંગણીઓ ને લઇ વાવ તાલુકા પંચાયત ખાતે પ્રતિક ઉપવાસ તેમજ ધરણા યોજી સરકાર સામે ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો જો કે તલાટીઓની સરકાર દ્વારા હજી કોઈ માંગણી સ્વીકારી નથી.અગાઉ પણ 13મી સપ્ટેમ્બરથી રાજ્યવ્યાપી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેને લઇ ને તાલુકા કક્ષા એ ઉગ્ર વિરોધ નોધાયો હતો જેમાં વિવિધ માંગણી જેવી કે ૧)મહેસુલી તલાટી ના પગાર માં બઢતી કરવી ૨)૨૦૦૪/૦૫/૦૬ ની ભરતી ના તલાટી ને

વિદ્યાસહાયકો ની માફક ગણવી ૩)તલાટી ક્રમ મંત્રી ને વિસ્તરણ અધિકારી કે કોઈ અન્ય ગ્રામ વિકાસ માં બઢતી આપવા ૪)ઓનલાઈન હાજરી પૂરવાનો નિર્ણય રદ કરવા તેમજ ૫) તલાટી ઓ પર થતા હુમલા અંગે સ્પસ્ટ નીતિ ધડવા અંતે માંગણી ૫) ૧ ગ્રામ ૧ તલાટી ના સુત્ર મુજબ ધટ થતી હોય તો નવી ભરતી કરવી વગેરે માંગો ને લઇ તલાટી શ્રી દ્વારા વાવ તાલુકા પંચાયત ખાતે વિરોધ દર્શાવ્યો હતો જેમાં પ્રમુખ સુનીલભાઈ ત્રિવેદી અને,ગુજરાત તલાટી મંડળ ઉપ્રમુખ રામભાઈ દેસાઈ,નેહાબેન પટેલ ,વિક્રમ રાજપૂત ,કિરણભાઈ રાજપૂત બ્રિજેશ ભાઈ સોલકી ,તલાટી ક્રમવગેરે હાજર રહ્યા હતા જેમાં ગુજરાત તલાટી મંડળ ઉપ્રમુખ રામભાઈ દેસાઈ દ્વારા જણાવાયું હતું કે જો અમારી માંગો ને સરકાર ધ્યાન માં નહિ લેતો લો આગામી સમય માં ગાંધીનગર ખાતે આવેલ સત્યાગ્રહ છાવણી માં ધરણા યોજીશું સાથે સાથે સરપંચ એસોસિએશન ના પ્રમુખ દ્વારા આ કાર્યક્રમ ને સમર્થન આપી સરકાર સામે બાયો ચઢાવી હતી .