બનાસકાંઠા સરહદી સેવા ફાઉન્ડેશન દ્વારા ૧૫૦૦૦ વ્રુક્ષો નું રોપણ કરાયું .

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ

સરહદી બનાસકાંઠા ના સુઈગામ તાલુકા ના મશાલી મુકામે તા:૧૮/૦૯/૨૦૨૧ ના રોજ માનનીય લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિતે સરહદી સેવા ફાઉન્ડેશન ના યુવાનો ભેગા મળી  સરહદી સેવા ફાઉન્ડેશન ના ફાઉન્ડર ટ્રસ્ટી નિલ રાવલ , ચેરમેન અમિત જોશી અને સિદ્ધરાજસિંહ જાડેજાની યુવા ટિમ દ્વારા શંકરભાઇ ચૌધરી સાહેબની અધ્યક્ષતામાં 15000 હજાર વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું . જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ ના અધ્યક્ષ ચેહરભાઈ દેસાઈ  સંજયભાઇ ત્રિવેદી  હાજર રહ્યા હતા. સુઇગામ તાલુકા ના તેમજ જિલ્લા ના ઉમેદદાન ગઢવી  ભરતભાઇ ગોહિલ  રામજીભાઇ રાજપુત દુદાજી રાજપુત  દાનાભાઇ ચાવડા પિરાભાઇ ગામોટ તેમજ સુઈગામ ભારતીય જનતા પાર્ટી ના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શંકરભાઈ ચૌધરી એ મસાલીગામે પધારેલ સૌ આગેવાનો અને ગ્રામજનોને વૃક્ષારોપણ વિશે ખૂબ માહીતી આપી અને મસાલીગામ  માં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં જે આયોજક યુવાનમિત્રો અને વડીલો નો સાહેબ શ્રી શંકરભાઈ ચૌધરી એ આભાર વ્યકત કર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *