
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : લલિત દરજી -દિયોદર
બનાસકાંઠા જિલ્લાના ના દિયોદર લાખણી , થરાદ , વિસ્તારમાં છેલ્લા ઘણા સમય થી ભૂગર્ભ જળ નીચા ગયા છે અને આ વખતે ચોમાસા માં વરસાદ ના આવતા જેના કારણે ખેડૂતો ની હાલત કફોડી બની છે જેમાં કૂવાણા ગામના યુવાનોએ પોસ્ટકાર્ડ લખી પાણી માટે સરકાર ને જગાડવાનો પ્રયાસ કર્યો છે
લાખણી તાલુકા કુવાણા ગામના યુવાનોએ મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખીને સરકાર ને જગાડવાનો પ્રયાસ કર્યો છે દિયોદર, લાખણી, થરાદ, વિસ્તારમાં એક.બાજુ વરસાદ ખેંચાયો છે બીજી તરફ આ વિસ્તારમાં ભૂગર્ભ જળ.પણ નીચા ગયા છે જેમાં વર્તમાન સમય ખેડૂતો ને સિંચાઈ માટે પાણી ન મળતા ખેડુતો ની હાલત કફોડી બની છે ત્યારે ખેડૂત યુવાનોએ પોસ્ટકાર્ડ લખી એક અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું
કુવાણા ગામના ના ખેડૂત યુવાનોએ જણાવ્યું હતું કે પાણીના તળ ઉંચા આવે અને પાણીની સમસ્યાને નિવારવા માટે ગામના તળાવો ભરવામાં આવે સુજલામ સુફલામ્ કેનાલમાં નિયમિત પાણી ચાલુ રાખવામાં આવે જેથી હાલ ના સમયમાં પાણીના તળ ૧૦૦૦ ફૂટે પહોંચ્યા છે. અને બોરવેલ તથા ખેતીના ખર્ચ પણ મોંઘા થયા છે. અને ખેડૂતની હાલ દયનીય અને વિકટ પરિસ્થિતિ છે. જેથી તત્કાલીન પાણી થી તળાવ ભરવામાં આવે જેની માંગણીને લઈને માનનીય મુખ્યમંત્રી પોસ્ટ કાર્ડ મોકલવામાં આવ્યા છે