- હર હર કાંતિ ઘર ઘર કાંતિ ખેડૂતો બેનરો લઈ પોહચ્યા
- દિયોદર મામલતદાર કચેરી ખાતે આજે બનાસકાંઠા જિલ્લા ના ખેડૂતો એ વિવિધ માંગણી ને લઈ આવેદનપત્ર આપવા પોહચ્યા હતા જેમાં ઢોલ વગાડી સરકાર ને જગડવાનો પ્રયાસ કર્યો હતો જેમાં સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવાની માંગ કરી હતી

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર
દિયોદર ,કાંકરેજ,લાખણી,થરાદ,ડીસા વિસ્તાર માંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં છેલ્લા ઘણા સમય થી ચાંગા નર્મદા કેનાલ માંથી પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો પરેશાન બન્યા છે વર્તમાન સમય ખેડૂતો એ ચોમાસા પાક નું વાવેતર કર્યું છે જેમાં કેનાલ માં પાણી ના છોડતા અને બીજી તરફ વરસાદ ખેંચાતા ખેતી ના પાક માં નુકશાન આવવાની દહેશત ઉભી થઇ છે જેમાં આજે ખેડૂત યુનિયન સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવાની માંગ ને લઈ “હર હર કાંતિ ઘર ઘર કાંતિ લડીશું તો જીતીશુ ના બેનરો લઈ દિયોદર મામલતદાર કચેરી ખાતે પોહચ્યા હતા અને મામલતદાર તેમજ નાયબ કલેકટર એમ કે દેસાઈ ને આવેદનપત્ર પાઠવી પાણી છોડવાની માંગ કરી હતી જેમાં આવેદનપત્ર આપતા ખેડૂતો એ જણાવેલ કે બનાસકાંઠા જિલ્લા ના દિયોદર,કાંકરેજ,લાખણી,થરાદ જેવા વિસ્તાર ના ખેડૂતો એ ચોમાસા પાક જેવા મગફળી પશુઓ માટે ઘાસચારો જેવા પાક નું વાવેતર કરેલ છે જેમાં અત્યારે પાણી ની સખત જરૂર છે વરસાદ ખેંચાતા પાક પણ બળી જવા પામ્યો છે જેમાં આ વિસ્તાર માં પાણી ના તળ પણ ઉંડા જતા ખેડૂતો ને પિયત નું પાણી મળતું નથી જેથી સરકાર દ્વારા તાત્કાલિક કેનાલ માં પાણી છોડવામાં આવે તેવી માંગ છે