- બનાસકાંઠા જીલ્લા માં ૧૭૬ જેટલી રજીસ્ટર ગૌ-શાળા અને પાંજરાપોળો ની સહાય બાબતે મુખ્ય મંત્રી ને લખ્યો પત્ર
- ગૌશાળા—પાંજરાપોળ માટે મોકળામને ઓછામાં ઓછી પ્રતિ પશુ પ્રતિ દિન રૂા.૪૦/– વધારવામાં આવે
- ગૌ માતા અને અન્ય પશુ ધન બિનઉપજાઉ રખડતા ભટકતા કે કતલખાને જતા જીવ દયા પ્રેમી ઓ બચાવેલ નિભાવ ખર્ચ માટે લખ્યો પત્ર
- પછાત અને રણવિસ્તાર વાળો વિસ્તાર માં .ખાણ-દાણ–ચારો—દવા–માણસો રોકવા અને માળખાગત જરૂરી સુવિધાને પહોંચી વળવું ખુબજ મુશ્કેલ કામ આ સંચાલકો કરે છે

- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી બનાસકાંઠા જીલ્લા માં ૧૭૬ જેટલી રજીસ્ટર ગૌ-શાળા અને પાંજરાપોળો છે આ ગૌ-શાળા અને પાંજરાપોળ માં રહેલ ગૌ માતા અને અન્ય પશુ ધન બિનઉપજાઉ રખડતા ભટકતા કે કતલખાને જતા જીવ દયા પ્રેમી ઓ બચાવેલ અથવા તો આવા પશુ ઓ ને નામદાર કોર્ટ સોપવામાં આવેલ પશુ ઓ થી પાંજરાપોળ કે ગૌ-શાળા ને કોઈ આવક નથી થતી અને દાન આપવા આવેલ રકમ નોઈ સ્રોત કઈ જાજો ના હોવાના કારણે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગૌ-શાળા મળતી સહાય માં વધારો કરવા મુખ્યમંત્રી ને પત્ર લખ્યો છે જેમાં ગેનીબેન ઠાકોર દ્વારા જણાવામાં આવ્યું કે આ ગૌશાળા—પાંજરાપોળને આ પશુધન માંથી કોઈ આવક થતી નથી. અર્થાત બિનઉપજાઉ છે. દાનની આવકનો કોઈ સ્ત્રોત નથી ભૂતકાળમાં ગુજરાત સરકાર દ્વારા પ્રતિ પશુ-પ્રતિદિન કાયમી ધોરણે નિભાવણી ખર્ચ આપવામાં આવતો હતો. પરંતુ અત્યંત દુઃખ સાથે કહેવું પડે છે કે આ સહાયને વર્ષ–૨૦૦૧ થી ગુજરાતની સરકારે સદંતર બંધ કરેલ છે ગયા વર્ષે આંદોલાત્મક પ્રયત્નો પછી આપની સરકારે અંશતઃ થોડાક સમય પુરતી સહાય આપેલ જે પણ ફરીથી બંધ કરી દીધેલ છે. જે દુઃખદ છે.
વધુ માં ગેનીબેન ઠાકોર દ્વારા જણાવામાં આવ્યું કે રાજસ્થાન રાજયમાં અગાઉ અંશતઃ સહાય આપવામાં આવતી હતી. જે વર્તમાન કોંગ્રેસની માનનીય અશોકજી ગેહલોત સાહેબની સરકારે વધારો કરી પ્રતિ પશુ પ્રતિ દિન રૂા.૪૦/– ની સહાય કાયમી ધોરણે નિભાવણી માટે આપવાનું શરૂ કરેલ છે. એટલું જ નહી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનેલ અને માનનીય કમલનાથજી મુખ્યમંત્રી બનતાં જ ગામડાઓમાં સરકારી ખર્ચે ૧૦૦૦ (એક હજાર) જેટલી ગૌશાળાઓનું નિર્માણ કરેલ અને નિભાવણી કરી ગૌ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ.તાજેતરમાં ગૌશાળા—પાંજરાપોળ સંચાલકો દ્વારા ધારસભ્યશ્રીઓ અને વહીવટીતંત્ર મારફત ગુજરાત સરકારને આવેદનપત્રો થકી રજુઆતો કરાતાં આપના દ્વારા જુન–જુલાઈ એમ બે માસ પુરતી પ્રતિ પશુ પ્રતિ દિન રૂા.૨૫-૦૦ ની સહાય આપવાની જાહેરાત કર્યાનું સાંભળવામાં આવેલ છે. જેના માટે મુખ્યમંત્રી આભાર વ્યકત કરું છું. પરંતુ આપ વર્તમાન અને કાયમી પરિસ્થિતિ જાણો છો વળી બનાસકાંઠાની ગૌશાળા—પાંજરાપોળો ના પશુઓ બિનઉપજાઉ છે. પછાત અને રણવિસ્તાર વાળો વિસ્તાર વધુ છે.ખાણ-દાણ–ચારો—દવા–માણસો રોકવા અને માળખાગત જરૂરી સુવિધાને પહોંચી વળવું ખુબજ મુશ્કેલ કામ આ સંચાલકો કરે છે. જેથી આપે જાહેર કરેલ સહાયની રકમ પ્રમાણમાં ઘણી ઓછી છે, જેથી મારી આપ સાહેબને વિનંતી છે કે ગૌશાળા—પાંજરાપોળ માટે મોકળામને ઓછામાં ઓછી પ્રતિ પશુ પ્રતિ દિન રૂા.૪૦/– મુજબની કાયમી નિભાવણી સહાય આપવા અંગે જરૂરી છે જેવા અનેક મુદ્દા સાથે પત્ર લખવામાં આવ્યો ..