
બનાસકાંઠા જિલ્લામાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામપંચાયતોની ચુંટણીને લઈ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. પણ ચુંટણી પહેલાં એક રાહતભરી અને લોકશાહી માટે સકારાત્મક ઘટના સામે આવી છે – જ્યારે વાવ તાલુકાની વજીયાસરા ગ્રામપંચાયતએ મતદાન પહેલાં જ સમરસતાનો માર્ગ અપનાવ્યો છે.વાવ તાલુકાની કુલ ૫૦ ગ્રામપંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી. એમાંથી વજીયાસરા ગ્રામપંચાયતની બધી જ બેઠકો પર, એટલે કે સરપંચ તથા તમામ સભ્યપદ માટે કોઇ સ્પર્ધા ઉભી ન થતા આખી પેનલ બિનહરીફ રહી છે, જેને પગલે પંચાયતને સત્તાવાર રીતે “સમરસ” જાહેર કરવામાં આવી છે.ગ્રામજનોના સહયોગ અને સર્વાનુમતિથી પટેલ પાંચાભાઈ જીવાભાઈને સરપંચ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. સમગ્ર ગ્રામજનોનું આ એકમન્તવ્ય નિર્ણયથી લોકશાહીમાં સહમતિ અને શાંતિપૂર્ણ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.