બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇભક્ત દ્વારા ૧ કિ.લો. સોનાનું દાન કરાયું

યાત્રાધામ અંબાજી મંદિરમાં માઇભક્ત દ્વારા ૧ કિ.લો. સોનાનું દાન કરાયું પાલનપુરના માઈભક્ત દ્વારા રૂ.52,50,000 ના સોનાનું દાન અપાયુ.. આવતીકાલ તા.૫ સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમના મહામેળાની શરૂઆત થઈ રહી છે ત્યારે માઇભક્તો દાનની સરવાણી વહાવી રહ્યાં છે. આજે અંબાજી મંદિરમાં અલગ અલગ દાતાઓ દ્વારા સોનાના દાન આપાવામાં આવ્યાં હતા. જે પૈકી પાલનપુરના એક માઇભક્ત દ્વારા અંબાજી મંદિરમાં ૧ કિ.લો. સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 52,50,000 થાય છે… બનાસકાંઠામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં અનેક માઈ ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે મા અંબાના ગામમાં હાલ બની રહેલા મંદિરમાં અનેક લોકો નાદાન નો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે આજે સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં પાલનપુરના એક માઈ ભક્તે અદભુત દાન આપ્યું 52 લાખથી વધુ અંબાજી મંદિરને સોનાના દાગીના અર્પણ કરવામાં આવ્યા અને માતાજીની આસ્થા અને દર્શનનો લાભ લીધો ત્યારે આવતીકાલથી શરૂ થતા ભાદરવી પૂનમના મેળામાં અનેક લોકો અને માઈક ભક્તો ઉમટી પડશે ત્યારે દસ દિવસ ચાલતા આ મેળામાં દાનનો પ્રવાહ પણ અવિરત થતો જોવા મળશે અંબાજીના મેળામાં શ્રદ્ધાળુ ઓ ઉમટી પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *