ડીસા લવ જેહાદ ના વિરોધ માં 15 હજાર થી વધુ લોકો ની મહારેલી, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસે રેલી ના રૂટ માં ફેરફાર કર્યો

ડીસામાં આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે, વહેલી સવારથી જ વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખયાહ હતા અને રેલી બાદ મોટી સંખ્યામાં લોકો SDMને રજૂઆત કરવા જઈ રહ્યા છે, ધર્માંતરણ મામલે સરકારને કડક કાર્યવાહી તથા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તેવી સમાજના લોકોની લાગણી છે. ડીસાના તમામ એસોશિયેશન દ્વારા બંધને ટેકો આપવામાં આવ્યો છે.  જેથી બનાસકાંઠાના ડીસામાં વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલી કથિત લવ જેહાદની પ્રવૃત્તિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેમાં શુક્રવારે અનેક હિન્દુ આગેવાનોએ એક સભાનું આયોજન કર્યું હતું અને શનિવારે ડીસા બંધનું એલાન કરવામાં આવ્યું હતું, આજે ડીસામાં વિશાળ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ડીસાના માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ કરાવ્યા બાદ પરિવારને પાછો સોંપવા માટે 25 લાખની ખંડણી માંગતા ઘરના મોભીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રકારની પ્રવુત્તિઓના વિરોધ  માટે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠન બેનર હેઠળ અલગ અલગ સંગઠનો ,વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોની બેઠક યોજાઈ હતી. જે બાદ આજે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ૨૪ કલાક માં આ પરિવારને પાછો સોંપવામાં નહિ આવે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારી શ્રી ની  રહેશે જેવી ચીમકી ઉચ્ચારી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *