2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવેલા Pm મોદીએ નેતાઓ અને મંત્રીઓને આપ્યા સૂચન

ગુજરાત પ્રવાસે આવેલા pm નરેન્દ્ર મોદીએ ગુજરાતના મોટા નેતાઓના કલાસ લીધાની ચર્ચાઓ ચાલી રહી છે.આગામી વિધાન સભા ચૂંટણી માટે શું રણનીતિ હશે તે વિશેની ચર્ચાઓ પણ થઈ છે.આમ આદમી પાર્ટીની ગુજરાતમાં પકડ મજબૂત બનતી હોવાથી હવે ગુજરાતના દરેક નેતાને કામ પર લાગી જવાનું કહેવામાં આવ્યું છે.અને મોટા નેતાઓને ચૂંટણી માટે અત્યારથી કામે લાગી જવા માટે પણ ઓડર આપી દેવામાં આવ્યો છે.ગુજરાતની રાજનીતિમાં ભાજપ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બીજો કોઇ વિકલ્પ નથી . વડાપ્રધાને શનિ – રવિની બે દિવસની મુલાકાત દરમિયાન ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય વાતાવરણ ગરમ થયું છે . તેમાંય તેમની કચ્છ મુલાકાત દરમિયાન ક્યારેય રાજકીય ભાષણ ન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપ સામે મોટા પડકાર તરીકે ઊભરી રહેલી આમ આદમી પાર્ટીને ગુજરાતવિરોધી અને અર્બન નક્સલી તત્ત્વ તરીકે સંબોધી તેમાં મોદીનું જ માર્ગદર્શન હોય તે વાતનો કોઇ ઇન્કાર ન કરી શકે અને તે રીતે મોદીએ જ ગુજરાતની રાજનીતિમાં હવે નવી રણનીતિ સેટ કરી છે . Pm મોદીએ નેતાઓને કેટલાક સૂચનો પણ આપ્યા હતા.1)પોલીસ સહિત રાજ્યના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલો.2) સતત પ્રજાલક્ષી કાર્યક્રમો આપી સરકાર જનતાની નજીક જાય.3) સંગઠન કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડે.4) યુવા , મહિલા , કિસાન અને વિવિધ જ્ઞાતિઓના મોરચા મહત્તમ કાર્યક્રમો કરે.5) સંગઠનના સિનિયર નેતાઓ જરૂરી માર્ગદર્શન માટે સતત ઉપલબ્ધ રહે , કમલમ્ પર નિયમિત મુલાકાત કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *