કચ્છમાં આજે પાણી ,વીજળી, માર્ગ અને ડેરી સાથે સંકળાયેલા વિવિધ પ્રોજેક્ટના ખાતમુહર્ત તેમજ લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,કચ્છ કોઈ સ્થાન નથી, કચ્છ તો જીવતી જાગતી ચેતના છે: કચ્છે ગુજરાતના વિકાસને પણ ગતિ આપી છે. વડાપ્રધાને કચ્છના લોકોના પ્રેમને બિરદાવ્યો હતો.ભૂકંપ બાદ કચ્છના પુન:નિર્માણ માટે કચ્છના લોકોના હોંસલાથી દુનિયાને પ્રેરણા મળી છે.કચ્છમાં 2થી 3 લાખ જનમેદની ને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,કચ્છ સાથે મારો જૂનો અને ખૂબ ગાઢ સંબંધ છે જણાવતા કચ્છના પુનઃ નિર્માણમાં મહાનુભાવોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કચ્છનો વિકાસ શૈક્ષિણક સંસ્થાઓ, રિસર્ચ સંસ્થાઓ માટે સંશોધનનો વિષય બન્યો છે.ભૂકંપમાં કચ્છની જિલ્લા હોસ્પિટલ ધ્વસ્ત થઈ ગઈ હતી. આજે કચ્છમાં ભૂકંપપ્રૂફ હોસ્પિટલ અને ૨૦૦ દવાખાના છે. એક સમયે કચ્છની ધરતી સૂકી હતી. આજે અહીં નર્મદાનાં નીર પહોંચ્યા છે.કચ્છ જિલ્લા એ પોતાની વિરાસતને ગૌરવભેર દેશ સમક્ષ મૂકી છે. ધોળાવીરાની નગર નિર્માણની વ્યવસ્થા આજે વિશ્વ વિરાસત બની છે. દુનિયાની સભ્યતા જ્યારે પ્રારંભિક તબક્કામાં હતી ત્યારે આપણા પૂર્વજોએ ધોળાવીરા જેવી આધુનિક સંસ્કૃતિ વિકસાવી હતી. આજે પણ ગુજરાતના સરદાર પટેલ તેમજ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકો લોકો માટે આદર્શ બન્યા છે.કચ્છના પ્રવાસન સ્થળો, કચ્છના વિવિધ ઉત્પાદનો, કચ્છી કારીગરી વગેરેને કારણે આજે દેશ દુનિયામાં ‘કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા’ ની ચર્ચા છે. કચ્છ એ માત્ર એક સ્થાન નહીં પરંતુ સમૃદ્ધિનો માર્ગ ખોલતી જીવંત ચેતનાનો મનોભાવ છે તેમ જણાવી વડાપ્રધાનશ્રીએ રણ ઉત્સવ જેટલી જ તાકાત સ્મૃતિવનમાં હોવાનો લોકો સમક્ષ આશાવાદ વ્યક્ત કર્યો હતો.