બનાસકાંઠામાં તલાટીઓની હડતાલ પત્યા બાદ હવે આઈ ટી આઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ગ્રેડ પે મામલે હડતાલ પર બેઠા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો જેટલો જ ગ્રેડ-પે આપવા માંગ કરી બનાસકાંઠામાં તલાટીઓની હડતાલ પત્યા બાદ હવે આઈ ટી આઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ગ્રેડ પે મામલે હડતાલ પર બેઠા છે. તેમને ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષકો જેટલો જ ગ્રેડ પે મળવો જોઈએ તેવી માંગ સાથે આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાંકરેજ માં આઈ ટી આઇ ઇન્સ્ટ્રક્શન સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો સરકાર પરથી મુસીબતના વાદળો હજુ હટયા નથી તલાટીઓ ની માંગ સરકારે સ્વીકારતા તલાટીઓની હડતાલ નો તો અંત આવ્યો છે પરંતુ હવે આઇટીઆઈ ઇન્સ્ટ્રક્ટરોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત રાજ્યની તમામ આઈ ટી આઈ ના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ને ગ્રેડ પે 2800 મળે છે જે લાયકાત પ્રમાણે બહુ જ ઓછો છે તથા કોલેજમાં આવતા તાલીમાર્થીઓ 10 પાસ હોય એમને ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષકો જેટલો ગ્રેડ-પે મળવા પાત્ર છે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોનો ગ્રેડ-પે 4400 છે તો આઈ.ટી.આઈ ના ઇન્સ્ટ્રક્ટરો ને પણ તેમના જેટલું જ 4400 નો ગ્રેદ પે મળવો જોઈએ જે મામલે અગાઉ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ ઉકેલ ન આવતા આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાંકરેજ ના કર્મચારીઓ એક દિવસ પ્રતિક ઉપવાસ પર બેઠા છે