સુરત ના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તાર માં એડવોકેટ મેહુલ બોધરા ઉપર ખુલ્લે આમ પોલીસ તંત્ર ની પોલ ખોલતો વિડીયો વાયરલ થયો હતો .ત્યારે પોલીસ ના ટી.આર.બી જવાન દ્વારા જાન થી મારી નાખવાના ઈરાદા થી હીંચકારો હુમલો કરાયો હતો.જેને લઈને સમગ્ર ગુજરાત ના એડવોકેટો દ્વારા વિવિધ તાલુકાઓ આવેદન પાઠવવામાં આવી રહ્યું છે .જે અંતર્ગત વાવ ના બાર એસોશિયેશન ના મેમ્બર દ્વારા સમગ્ર એડવોકેટ ગણ સાથે વાવ મામાલદાર ને આવેદન પાઠવવામાં આવ્યું હતું.જેમાં મુખ્યત્વે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા હુમલા ને વખોડી કાઢેલ છે તેમજ એડવોકેટ ના પ્રોટેક્શન એકટ લાવવા આવેદન આપી રજુઆત કરવામાં આવી હતી.
