જર્મનીમાં અભ્યાસ કરતા શ્રી શેર બુલંદખાન બાબી પાલનપુરમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી એફ.એ.બાબીના સુપુત્ર છે બર્લિન ખાતે આયોજિત સ્વતંત્રતા પર્વ ઉજવણી સમારોહમાં એમ્બેસેડર દ્વારા શેર બુલંદખાનને ગોલ્ડ મેડલ એનાયત કરાયો ભારત દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે સમગ્ર દેશ અને દુનિયામાં વસતા ભારતીયો દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગરૂપે દેશ દુનિયામાં વિવિધ સ્તરે વિવિધ પ્રકારના આયોજન દ્વારા ભારતની આઝાદીના ઇતિહાસને ઉજાગર કરવાનો અને ભાવિ પેઢીને ભારતીય સભ્યતા, સંસ્કૃતિ અને તેના ભવ્ય વારસાથી પરિચિત થવાનો મોકો પ્રદાન કરવામાં આવી રહ્યો છે.

ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદેશમાં વસતા ભારતીયો તેમજ વિદેશી યુવાનો ભારત દેશ વિશે વધુ જાણકારી મેળવી શકે એ હેતુથી ડિસેમ્બર 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એક કવીઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દુનિયાભરમાંથી ૧૭૮ દેશોના પંદર હજાર જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કામગીરીના કારણે લોકોમાં ખુશી જોવા મળી હતી અને વિસ્તારનું ગૌરવ પણ વધાર્યું હતું.