દિલ્હીના ડેપ્યુટી CM મનીષ સિસોદિયા ના ઘરે CBIના દરોડા,કહ્યું કે સત્ય પરાજિત નહિ હો શકતા !!

CBIની ટીમે શુક્રવારે સવારે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ઘરે દરોડા પડ્યા હતા. જે અંગે મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, સ્વાગત છે. જે લોકો સારું કામ કરે છે તેમને હેરાન કરવામાં આવે છે. અમે અત્યંત પ્રમાણિક છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર કરીશું. નોંધનીય છે કે ગયા મહિને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ દિલ્હીમાં નવી એક્સાઇઝ પોલિસીની CBI તપાસનો ભલામણ કરી હતી. તેના પછી જ આ કાર્યવાહી થઈ રહી છે.

મનીષ સિસોદિયાએ 3 ટ્વિટ કર્યાં

ટ્વિટ 1. CBI આવી ગઈ છે. તેમનું સ્વાગત છે. અમે કટ્ટર પ્રમાણિક છીએ. લાખો બાળકોનું ભવિષ્ય બનાવી રહ્યા છીએ. આપણા દેશમાં સારુ કામ કરનારાઓને આ રીતે હેરાન કરવામાં આવે છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. તેથી જ આપણો દેશ હજુ નંબર-1 બન્યો નથી.

ટ્વિટ 2. અમે સીબીઆઈનું સ્વાગત કરીએ છીએ. તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે જેથી સત્ય જલ્દી સામે આવી શકે, અત્યાર સુધી મારા પર ઘણા કેસ દાખલ થયા છે પરંતુ કંઈ સામે આવ્યું નથી. તેમાંથી પણ કશું નીકળશે નહીં. દેશમાં સારા શિક્ષણ માટે મારું કામ રોકી શકાય નહીં.

ટ્વિટ ૩. આ લોકો દિલ્હીના શિક્ષણ અને સ્વાસ્થ્યના અદ્ભુત કામી પરેશાન છે. જેના કારણે દિલ્હીના આરોગ્ય મંત્રી અને શિક્ષણ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે. જેથી કરીને શિક્ષણ-આરોગ્યના સારા કામો અટકાવી શકાય. અમારા બંને પર ખોટા આરોપો છે. કોર્ટમાં સત્ય સામે આવશે.

અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને કહ્યુ

“CBIનું સ્વાગત છે. સંપૂર્ણ સહકાર આપીશું. ભૂતકાળમાં પણ અનેક તપાસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કશું બહાર આવ્યું નહીં. હજુ પણ કંઈ બહાર આવશે નહીં. જે દિવસે દિલ્હી એજ્યુકેશન મોડલના વખાણ થયા અને મનીષ સિસોદિયાની તસવીર અમેરિકાના સૌથી મોટા અખબાર NYTના પહેલા પાના પર છપાઈ હતી. એ જ દિવસે કેન્દ્રએ સીબીઆઈને મનીષના ઘરે મોકલી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *