તલાટી કર્મ મંત્રી અચોક્કસ મુદ્દત ની હડતાળ ને લઈને વાવ ના ૭૨ ગામો ના સરપંચો દ્વારા આવેદન પાઠવી રજૂઆત કરાઈ

બનાસકાંઠા સહીત ગુજરાત ભર માં તલાટી ક્રમ મંત્રી ઓ અચોક્કસ મુદ્દત ની હડતાલ પર છે જેને લઈને ગ્રામ્ય લેવલ ની કામગીરી જેવી કે જેવા કે વારસાઇ, પેઢીનામુ, આવક-જાતિ ના દાખલા, જન્મ – મરણ ના દાખલા, ઘરવેરાની પહોચ, આકારણી, વિધવા દાખલો,પાણી પત્રક કામગીરી સહિત ની જરૂરિયાતો વિના મૂલ્યે મળતી માહિતી અને જાણકારી બંધ થઇ જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વાવ તાલુકા સરપંચ એશોશીયેશન ના પ્રમુખ સહિત વાવ ના ૭૨ ગામો ના સરપંચો એ તલાટી ક્રમ મંત્રી ની માંગો ને ટેકો જાહેર કરી તલાટી ક્રમ મંત્રી ઓ ની માંગ ને લઈને વાવ તાલુકા વિકાસ અધિકારી સહીત વાવ મામલદાર કે.એચ .વાઘેલા  ને આવેદન પાઠવ્યું છે જેમાં સરકાર આ તલાટી ક્રમ મંત્રી ની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવે અને ગ્રામ્ય લેવલ ની કામગીરી ચાલુ કરવાની માંગ કરાઈ છે  ઉલ્લેખનીય છે કે વર્તમાન સમય માં સરહદી વિસ્તારો ના પશુધન પર લંપી નામના રોગ થી અસંખ્ય પશુધન મરી રહ્યું છે જેને લઈને સરપંચ સહીત તલાટી ને તેની દફન વિધિ કરાવવા ની  કામગીરી છે પણ આ કામ એકલા હાથે ના પહોચી વળતા ધીમી ગતિ હોવાના લીધે સરકાર ને આવેદન પાઠવવામાં આવ્યું છે 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *