દાંતા અંબાજી રોડ પર વરસાદના પગલે ભેખડો ઘસતા માર્ગ પર આવી..

દાંતા અંબાજી રોડ પર વરસાદના પગલે ભેખડો ઘસતા માર્ગ પર આવી.. બનાસકાંઠા જિલ્લા માં છેલ્લા બે દિવસથી મેઘરાજા મનમૂકી ન3 વરસી રહ્યા છે. દાંતા તાલુકા માં છેલ્લા બ3 દિવસ માં 6 ઇંચ કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે તો આજે ભારે વરસાદ થી યાત્રાધામ અંબાજી ને જોડતા રસ્તા માં ત્રિશુળીયા ઘાટ વિસ્તાર માં રસ્તાઓ પર ભેખડો ધસતા મામલતદાર શ્રી દાંતા અને તેમની ટીમે ઘટના સ્થળે દોડી આવી હતી અને મજુરો સાથે પહોંચી જઇ ટ્રેક્ટર, જેસીબી અને ડમ્પર જોતરીને રસ્તાને ક્લીયર કરવામાં આવ્યો છે. માઇ ભક્તોને અંબાજી જવા માં મુશ્કેલી ન પડે તે માટે વરસતા વરસાદ માં પણ વહીવટી તંત્રના અધિકારી ઓએ ભેખડો દૂર કરાવી રસ્તાને પૂર્વવત કરવામાં આવ્યો છે. અંબાજી માઈ ભક્તો નો મેળો ભરાવવાની તડામાર તૈયારી ચાલી રહી છે તેવા માં વરસાદી માહોલ થી વહીવટી તંત્રની કામગીરી પણ વધી ગઈ છે જો કે તંત્ર તમામ રીતે સજ્જ છે તેવું જણાવી રહી છે આવનાર તમામ ભક્તોને કોઈ તકલીફ નહિ પડે તેવું સરકારી તંત્ર કહેવુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *