રાજ્ય સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા હાલમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત શાળાઓમાં પણ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે આજે ડીસા તાલુકાના આસેડા ગામે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા લહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો આજે યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડીના કાર્યકર શ્રીમાળી જયાબેન દ્વારા નાના બાળકોને ધ્વજ આપી સમગ્ર ગામમાં પ્રભાતેરી યોજવામાં આવી હતી જેમાં નાના ભૂલકાઓ દેશભક્તિના રંગમાં રંગાઈ પ્રભાતફેરીમાં ભારત માતાકી જયના નારા સાથે લોકોને ઘરે ઘરે ધ્વજ લહેરાવવા માટે અપીલ કરવામાં આવી હતી જે બાદ આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા ગામમાં તમામ મહિલાઓને રાષ્ટ્રધ્વજ ના મહત્વ વિશે પણ સમજણ પૂર્વ પાડવામાં આવી હતી આજે યોજાયેલા આ કાર્યક્રમમાં આખું ગામ પ્રભાતફેરી જોવા માટે ઉમટી પડ્યું હતું અને આંગણવાડી બાળકો દ્વારા પણ રાષ્ટ્રધ્વજ હાથમાં લઇ ગામમાં ફરતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા