બનાસકાંઠા માં કેન્દ્રીય યોજના થકી ભારતમાલા રોડની કામગીરી ખાનગી કંપનીઓ દ્વારા ચાલી રહેલી છે વારંવાર વિવાદ ના વંટોળ માં ચાલતી આ કંપની ઓ ના કર્મચારી ઓ ની મનમાની વારંવાર સામે છે.જેમાં મળતી માહિતી મુજબ ગત ૭મી ઓગસ્ટના રાત્રે ખાનગી કંપનીના વેલ્ડિંગનું કામ કરતા ઈસમ સબુદિન બુધાખાન પઠાણે ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ગતરોજ થરાદના ગૌસેવકે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ઉલ્લેખનીય છે હિંદુ ધર્મમાં ગાયને માતાનો દરજજો આપી ગાયને પૂજનીય ગણવામાં આવે છે, જોકે વર્તમાનમાં ગૌવંશમાં લંપી વાયરસ હોઈ ગૌમાતા પર સંકટમાં છે તેવી સ્થિતિમાં ધર્મપ્રેમી લોકો ગૌવંશને બચાવવા અથાગ પ્રયાસો કરી ગૌસેવા કરી રહ્યા છે ત્યારે બીજીબાજુ પવિત્ર શ્રાવણ માસમાં લઘુમતી સમાજના શખ્સ દ્વારા હિંદુ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે એ રીતે ગૌમાતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોઈ ગૌસેવકો સહિત ધર્મપ્રેમી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છેઅને ગૌ પ્રેમી ઓ ના જણાવ્યા અનુસાર આ નરાધમ કડક માં કડક પગલા ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે
