બનાસકાંઠા માં શબ્દને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવજાત ભ્રુણ બાળક દાંતીવાડા ડાગિયા રોડપર મળી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોતાનું પાપ સંતાડવા માટે આ બાળકને તરછોડી દીધું હોવાનું સામે આવી રહ્યું છે.મળતી માહિતી અનુસાર રાત્રી ના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિઓ શિશુ મૂકી ગયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારબાદ દાંતીવાડા પોલીસ નો સંપર્ક કરતા ધટન સ્થળે આવી મૃત શિશુ ને દાંતીવાડા રેફરલ મા ખસેડ્યું હતું તે બાદ દાંતીવાડા પોલીસે નવજાત મૃત શિશુ મામલે તપાસ હાથ ધરી છે હાલ માં તો આ શિશુ ને આ હાલત માં મુકેલી ને જતી રહેલ જનેતા ઉપર લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે