ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી સરકાર શ્રી ની અનેક યોજનાઓ અમલમાં હોવા છતાં જરૂરિયાત મંદ લોકો સુધી યોજનાનો લાભ પહોંચતો નથી જેના લીધે જરૂરિયાત મંદ લોકો લાચાર બની જીંદગી જીવી લેતાં હોય છે જ્યારે જ્યાં સરકાર ના પહોચી શકે ત્યાં સેવાભાવી સંસ્થાઓ સગથનો પહોંચીને આવા લાભાર્થીઓને મદદરૂપ બનતાં હોય છે જેવી રીતે ગુજરાતના કોમિડી કલાકાર ખજુરભાઈ ઉર્ફે નીતીનભાઇ જાની ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મદદરૂપ બની અત્યાર સુધીમાં 200 જેટલા ઘર વિહોણા પરીવાર ને ઘરનાં ઘર પાકાં બનાવીને લોકોનાં આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે તેવી રીતે ડીસાના હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ સોની ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં જરૂરિયાત મંદ લોકોને દુઃખની ઘડીમાં મદદરૂપ બની રહ્યા છે ત્યારે આજે ડીસા શહેરમાં આવેલ ટેકરા વિસ્તારમાં રહેતા એક અપંગ વિધવા મહીલા નું મકાન છેલ્લા કેટલાય સમયથી જર્જરીત હાલતમાં હતું જેણી જાણકારી મલતા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ સોની દ્વારા રૂબરૂમાં મુલાકાત લીધી હતી અંપગ વિધવા મહીલાને બે પગ ના હોવાથી ચાલી શકતાં પણ હતાં ત્યારે હિન્દુ યુવા સંગઠન દ્વારા અપંગ વિધવા મહીલાનું જર્જરીત મકાનને નવું બનાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી થોડા સમયમાં નવું મકાન તૈયાર કરવામાં આવી હતી નવું તૈયાર થયેલ મકાનમાં લાઈટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી ત્યારે આજે હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ સોની અને ભગવતી સાડી જંકશનના માલિક દિપકભાઈ કચછવા સાથે કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં નવા મકાનનું વાસ્તુ કરી વિધવા અપંગ મહીલાના પરીવારને નવું મકાનમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો હિન્દુ યુવા સંગઠન દ્વારા એક વિધવા અપંગ મહીલાને મદદરૂપ બની માનવંતા મહેકાવી હતી ત્યારે નવુ મકાન તૈયાર થતાં વિધવા અપંગ મહીલાના મોંઢા પર ખુશી જોવા મળી હતી અને હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ સોની અને કાર્યકર્તાઓનો દિલથી આભાર વ્યક્ત કરાયો હતો ત્યારે સરકાર શ્રી દ્વારા પણ આવા લાચાર અને ગરીબ અને મધ્યમવર્ગના લોકોને મદદરૂપ બનવા આગળ આવે તેવી હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતીનભાઇ સોની દ્વારા અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી