ચોમાસાની શરૂઆત થતાંની સાથે બનાસકાંઠા જિલ્લાના વહીવટીતંત્રના વિકાસની પોલ ખુલી પડી ગઈ છે વરસાદી શરૂઆતમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતાં પડેલ ખાડાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે તાજેતરમાં ડીસા થરાદ હાઇવે પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવિન રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ નવિનરોડની બાજુમાં વરસાદી પાણીનાં નિકાલ કરવાની વ્યવસ્થા ઉભી ન કરાતાં સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાતાં ઠેર-ઠેર ખાડાઓ પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે પડેલ ખાડાઓ માં વાહનો ફસાઈ જતાં ભારે ટ્રાફીક જામના દ્શ્યો સર્જાઈ રહ્યા છે માર્ગ અને મકાન વિભાગના સત્તાધિશોની રોડની કામગીરીમાં કોન્ટ્રાકટરની બેદરકારીથી લોકો હેરાનપરેશાન થઈ રહ્યા છે રોડની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે નાળાઓ મુકવા જોઈએ જેથી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ નાળામાં થાય તો રોડની સલામતી પણ જળવાઈ રહે ડીસા થરાદ હાઇવે પર અને આખોલ ચાર રસ્તા પાસે છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ રહેતા રોડ ઉપર પાણી ભરતા ઉંડા ખાડા પડી જતાં રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેસાન થઈ રહ્યા છે તો તાત્કાલિક આખોલ ચારરસ્તા થી થરાદ રોડ ઉપર તાત્કાલિક પાણી ના નિકાલ માટે ગટર લાઈન મુકવામાં આવે અને ખાડા પુરવા માં આવે તેવી વાહનચાલકો સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે સાથે-સાથે કરોડો રૂપિયાના ખર્ચે નવિન ડામર રોડ બનાવામાં આવેલ છે જે રોડ પર રોજબરોજ બનાસકાંઠા જિલ્લાના તમામ અધિકારીઓ અને જિલ્લા સાંસદ થી લઈને ચુંટાયેલા પ્રતિનિધિઓ રોજબરોજ આ રોડ પરથી નીકળે છે છતાં આમ જનતાની કાંઈ પડી ન હોય તેમ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છેલ્લા કેટલાય વર્ષોથી ડીસા આખોલ ચાર રસ્તા પર દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા ઉભી થાય છે અને રોડ તુટી જતાં ઠેર-ઠેર ખાડાઓ પડી જવાથી વાહનચાલકો જીવના જોખમે પડેલ ખાડાઓમાં વાહનો હંકારવા મજબુર બને છે ત્યારે ડીસા થરાદ હાઇવે પર અને આખોલ ચાર રસ્તા પર વરસાદી પાણી ભરાતાં ઠેર-ઠેર પડેલ ખાડાઓમાં કોઈ આકસ્મિક ઘટના બને અને તૌ જવાબદાર કૌન તેવા સવાલો લોકો ઉભા કરવામાં આવી રહ્યા છે..