વાવ તાલુકાના દેથળી ગામે વર્ષ ૨૦૧૬- ૧૭ માં મંજુર થયેલ વિવેકાધીન પુ૨ સંરક્ષણ દીવાલમાં ગે૨રીતિ આચરાઈ હોવાની ગામલોકોએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.પાંચ વર્ષ પહેલા બનેલી દિવાલ હાલ જોવા ના મળતાં તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. જાણવા મળતી માહિતી અનુસાર દેથળી ગામના જેમલભાઈ ના ઘરથી લઈને શકરભાઈ કાજાભાઈ ના ઘર સુધી આ દીવાલ મંજુર થઇ હતી. જે રકમ ૨૦૧૮-૧૯ના વર્ષ માં ૧૫ ટકા વિવેકાધીન સંરક્ષણ દીવાલ પ્લોટ વિસ્તાર માં સેંધાભાઇ વેરશીભાઇ ના ઘરેથી પદમાભાઈ મીઠાભાઇ ના ઘર સુધીની દીવાલ મંજુર થઇ હતી.

જેની ૨કમ બે લાખ હતી .અને જેનો વર્ક ઓડર્સ પડેલ છે .તથા કંપ્લેશન સર્ટિફિકેટ પણ અપાઇ ગયેલ છે .પરંતુ આ દીવાલનુ કામ માત્ર કાગળ પર જ થયેલ છે. અને આ કામના નાણાં પણ ઉપડી ગયેલ છ. જો આ દીવાલ પણ બનાવવામાં આવી નથી. તો આ દિવાલ માટે ફાળવાયેલા નાણાં કયાં વપારયાતેને લઇ ગામલોકોમાં તંત્ર સામ અનકે સવાલો ઉભા થય છે.આ બાબત તાલુકા પંચાયતના અ મ ઈ ચોરસીયાનો સંપર્ક કરતાં તેઓએ જવાબ ના આપતા મૌન સેવ્યું હતું .જેથી અમારી મીડિયા ટીમેં દેથલી ગામ ના વર્તમાન સરપંચ જેતે વખત ના જીલ્લા પંચાયત ના સદ્દસ્ય સાથે ટેલીફોનીક વાતચીત થઇ હતી અને જણાવ્યું હતું કે વાસ્તવ માં આ જગ્યા પર કોઈ દીવાલ નથી બનેલ જેવું જણાવ્યું હતું.જેથી જાબાજ અને યુવા તાલુકા વિકાસ અધિકારી જય ગૌસ્વામી આ કામની સધન તપાસ કરી જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટ પાસે વસુલી કરાવે તેવી લોક માંગ છે