પાંથાવાડા ની શ્રી તિરુપતિ બાલાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માં “થેલેસિમિયા અને બ્લડ કેન્સર” વિષય પર માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં ‘દાત્રી બ્લડ સ્ટેમ સેલ ડોનર્સ રજિસ્ટ્રી ‘ સંસ્થા અમદાવાદ નાં શ્રીભરતસિંહ બારીયા એ થેલેસીમિયા અને બલ્ડ કૅન્સર જેવા ગંભીર રોગોનાં લક્ષણો અને તેના નિદાન માટે આવશ્યક માર્ગદર્શન પૂરું પાડેલ.બ્લડ સ્ટેમ સેલ દાતા બની આવા રોગો થી પીડિત લોકો ને કેવી રીતે જીવનદાન આપી શકાય અને સમાજમાં જનજાગૃતિ લાવી શકાય તેવી સમજણ પણ કાર્યક્રમ માં કરવામાં આવેલ હતી . સંસ્થા ખાતે પી. ડી. ફાઉન્ડેશન ટ્રસ્ટ નાં નિયામક શ્રી અરવિંદભાઈ શ્રીમાળી, કૉલેજ નાં પ્રિન્સિપાલ શ્રી ભરતભાઇ પ્રજાપતિ અને આઇ. ટી. આઈ નાં અધિક્ષક શ્રી ગોવિંદભાઈ હાજર રહ્યા હતા. કૉલેજ નો સમગ્ર સ્ટાફ અને વિધ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર આખા કાર્યક્રમ ને નિહાળ્યો હતો.કાર્યક્રમ નાં અંતે સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કર્યું હતું . કાર્યક્રમ નું સમગ્ર અને સફળ સંચાલન કોલેજના પ્રોફેસર હિતેશભાઈ ટાંકે કર્યું હતું.