જસરાના ગૌચરમાં નીલગાયની હત્યા કરેલ બે લાશ મળી આવતા ચકચાર…

બનાસકાંઠા ના લાખણી તાલુકાના જસરા ગામમાં મધ્યરાત્રીએ કોઈ અજાણ્યા શખ્સોએ નીલગાયની ગોળી મારી હત્યા કરી ત્યાર બાદ નિલગાયની હત્યા કરનાર નરાધમ તત્વોએ નીલ ગાય નું ધડ અલગ કર્યું હોવાના અહેવાલ મળી રહ્યા છે ગામના જીવદયા પ્રેમીઓને ખબર પડતાં તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર આવીને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી ફોરેસ્ટ વિભાગે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.. જોકે નીલગાયોને મારીને કોઈને દેખાય નહિ એટલા માટે નીલગાયોની લાશ ઉપર બાવળના કાંટા નાખી દીધા હતા આ સમગ્ર મામલે આગથળા પોલીસ ધટના સ્થળે પહોચી હતી જેમાં આ સમગ્ર મામલે પ્રાથમિક સંકા ડફેર ગેંગ નીલગાયોને મારી તેના હાડકાં અને ચામડું લઈ જાય છે.તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ સમગ્ર બાબતે સમાચારને લઈને જીવદયા પ્રેમીઓમાં ભભૂકતો રોષ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *