સુઈગામ તાલુકા સંઘ અને ખરિદ વેચાણ મંડળીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા સુઈગામ સેવાસદન ખાતે પ્રાંત કચેરીમા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હાલમાં જોતા ખેતીની ચોમાસું સિઝન હોઈ ખેડૂતોને સરકાર શ્રી દ્વારા પ્રમાણિત કરેલ બિયારણ, ખાતર પુરતા પ્રમાણમાં મળતો નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં સંઘ સંચાલક સંચાલક દ્વારા બીજી કંમ્પનીના બિયારણ,ખાતર આપવામાં આવે છે,આમ આદમી પાર્ટી સુઈગામ દ્વારા સુઈગામ નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવા ડો.ભીમભાઇ પટેલ,ભુરા ભાઈ આઝાદ (આપ કિશાન સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ), કરશનભાઈ રાજપુત (આપ સંગઠન મહામંત્રી વાવ) અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સુઈગામ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જો ૧૦ દિવસમાં ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે તો,ગાંધી ચિંધ્યા માર્ગે પ્રાત કચેરી ખાતે ધરણાં ઉપર બેસવાની ઉચ્ચારી ચિમકી છે