વાવ વંદે ગુજરાત વિકાસ યાત્રા નું સ્વાગત કરાયું

વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ગુજરાત ના જિલ્લાના અંતરિયાળ વિસ્તારો માં પહોંચી પ્રજાકિય ચેતના જગાવી રહી છે. રાજ્ય સ૨કા૨ના ‘૨૦ વર્ષ વિશ્વાસ અને ૨૦ વર્ષનો વિકાસ’ વિશે જાણકારી પહોંચાડતો રથ ગામે ગામ ફરી રહ્યો છે. તા 16મી જુલાઈના રોજ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ રથ વાવ તાલુકા મથકે આવેલ મહેતા એન.એસ.વિનય મંદિર ખાતે પહોંચ્યો હતો. અહીં શાળા ના બાળકો દ્વારા વિધિવત સ્વાગત કરાયું હતું . જે બાદ લોકોને’20 વર્ષ વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ’ રથ માં રહેલ ટીવી સ્ક્રિન ના માધ્યમ થકી લોકો ને આ વિશે જાણકારી આપવામા આવી હતી.તે બાદ ઉપસ્થિત આગેવાનો, મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભોના વિતરણ સહિત, પ્રધાનમંત્રી આવાસ યોજનાની થકી થયેલ કામો તેમજ , ફળાઉ વૃક્ષોનુ વાવેતર, વીજ જોડાણના મંજુરી પત્રો,PM JAY કાર્ડ તેમજ ઉજવલા યોજના હેઠળ ગેસ ની સગડી તેમજ બાટલા ઓ હર્ષ ગેસ એજન્સી દ્વારા વિતરણ જેવા જનકલ્યાણકારી કાર્યો હાથ ધરાયા હતા.આ સમગ્ર કાર્યક્રમ વાવ મામલદાર કે.એચ.વાઘેલા ની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાવ તાલુકા વિકાસ અધિકારી જય ગોસ્વામી , વાવ tho અમરત ભાઈ મણવર, વાવ પુરવઠા મામલદાર ઈશ્વરભાઈ બાયડ, એ.એમ. ચોરસિયા (અ. મ.ઇ.તા.વાવ) તાલુકા પંચાયત એકાઉન્ટટ ભરતભાઇ ત્રિવેદી,સ્થાનિક અગ્રણી એચ.બી.વેઝિયા સહિત વાવ ગ્રામ પંચાયત ના તલાટી તેમજ હેલ્થ વિભાગ ના કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *