ધાનેરા થરાદ હાઈ-વે પર આખલો વચ્ચે આવતા અકસ્માત સર્જાયો, ગાડી ચાલકનું ઘટના સ્થળે મોત

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પશુઓના કારણે નેશનલ હાઇવે પર અનેક નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે જેમાં અત્યાર સુધી પશુઓના કારણે અનેક લોકો અકસ્માતોમાં મોતને ભેટ્યા છે વારંવાર પશુઓને થતા અકસ્માતો ને અટકાવવા માટે સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા વારંવાર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને રાત્રિના સમયે તો પશુઓ રોડ પર હોવાના કારણે વાહન ચાલકોને ભારે હલાકી ભોગોવી પડે છે વારંવાર રાત્રિના સમયે પશુઓ વચ્ચે આવી જતા અનેક નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે આવો એક વધુ અકસ્માત આજે ધાનેરા થરાદ હાઇવે પર આવેલ ખેડા અને પાવડાશન વચ્ચે આજે આખલો વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. આખલાને બચાવવા જતા ગાડી ચાલકને અકસ્માત નડ્યો હતો જેમાં ગાડીના કુરચે કુરચા આ અકસ્માતમાં ઉડી ગયા હતા. આ અકસ્માતમાં ગાડીમાં સવાર ત્રણ લોકોને ઇજાઓ થવા પામી હતી જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકોને નાની મોટી ઇજાઓ તથા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *