બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાંથી એક શખ્સ સગીરા નું અપહરણ કરી ગયો હોવાની ચોકવનારી ધટના સામે આવી છે .જેમાં સગીરાના ખેતર નજીક જેસીબી ચલાવતો થરાદ તાલુકાના આસોદર ગામનો કમલેશભાઈ ધીરાભાઈ પરમાર તેણીને લલચાવી ફોસલાવી લગ્ન અને જારક્રમ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો.જે અંગે પરિવારજનો પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે