ગુજરાતમાં રાજ્યમાં ગઈકાલે કોરોનાના કુલ 678 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં વધુ એક દર્દીનું મોત થયું હતું. અમદાવાદમાં કોરોનાના કોસો વધ્યા હતા અને 261 વધુ કેસ નોંધાયા હતા. હજુ પણ કોરોના કેસો વધવાથી સંક્રમણનો વ્યાપક ખતરો હોવાનું સ્પષ્ટ થવા પામ્યું છે. ગુજરાત રાજ્યમાં વધુ 1,53,910 વક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. કોરોનના કેસમાં રાજ્યમાં કેસ વધે છે અને ઘટે છે તેમ છતાં પણ કેસો નોંધાય રહ્યા છે. અમદાવાદમાં એક દર્દીનું મોત નીપજ્યું હતું. એક તરફ તહેવારો માથે છે તેવામાં કોરોના કેસોમાં વધારો થતા તંત્ર દોડતું થઇ ગયું છે. લોકોને તકેદારી રાખવા માટે કહેવામા આવ્યું છે તેમ છતાં પણ લોકો યોગ્ય પાલન કરતા નથી અને માસ્ક કે સેનિટાઇઝરનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 810 દર્દી સજા થયા છે. અત્યાર સુધી કુલ 12,45,890 દર્દીઓએ કોરોનાથી સજા થઇ ગયા છે. રાજ્ય અત્યારે કોરોનાના એક્ટિવ કેસ 5729 કેસો છે. જેમાં 15 દર્દી વેન્ટિલેટર પર છે. કોરોનાથી રાજ્યમાં કુલ આંક 10,981 થયો છે. કોવિંડથી સજા થવાનો દર 98.68 ટકા છે.
રાજ્યમાં જુદા જુદા શહેરોમાં કોરોનાના કેસો
કોરોનાના વડોદરામાં 91, સુરતમાં 37, રાજકોટમાં 27, મહેસાણામાં 22, બનાસકાંઠામાં 19, ગાંધીનગરમાં 16, ભરૂચમાં 14, કચ્છમાં 13 અને અમરેલી અને પાટણમાં 12-12 કેસો નોંધાયા હતા. આ ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લામાં પણ કોરોના કેસો નોંધાવાનું શરૂ છે. કોરોના સામે વધુ 137228 વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં કુલ વેક્સિનના 11.91 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ વધુ ડોઝ આપવામાં આવશે.