જગાણા ના શ્રી નિલકંઠ મહાદેવ મંદિર ખાતે પૂજા -અર્ચના કરાઈ પાલનપુર તાલુકાના જગાણા ખાતે પ્રાચીન એવું ૫૬૫ વર્ષ જૂનું નીલકંઠ મહાદેવ ના મંદિરે પૂજા અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિલકંઠ મહાદેવ સંવત ૧૪૫૭ માં આ મંદિરની જગાણા ખાતે કુવા સાથે જ સ્થાપના એ સમયે કરવામાં આવી હતી આ મંદિર ગામ કૂવા પાસે આવેલું છે ગામ લોકો દ્વારા નિલકંઠ મહાદેવ નું સ્થાપન પણ કરાયું હતું આથી તો ગામનું પ્રાચીન મંદિર પણ એજ ગણાય છે. શિવલિંગ લગભગ ભગ્નાવશેષ જેવી સ્થિતિ માં છે અને અન્ય મંદિરની જેમ તે પણ જીર્ણોધ્ધાર કરવા યોગ્ય છે. પુજા-અભિષેક મહેન્દ્ર ભાઈ ત્રિવેદી, કનુભાઈ દવે, નવિનભાઈ,જેવા પંડિતો દ્વારા આ વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે ઘેમર ભાઈ ભોળિયા, કેશર ભાઈ જુઆ, પ્રહલાદ ભાઈ પરમાર, ગણેશ ભાઈ ચૌધરી, રતીભાઈ લોહ, હરેશ ચૌધરી, મુકેશભાઈ ઠાકોર,કમલેશ ગૌસ્વામી જેવા ગ્રામજનો અને વિશાળ સંખ્યામાં શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી દર્શનાર્થીઓએ નિલકંઠ મહાદેવ મંદિરના દર્શનનો અને પ્રસાદનો લાભ લીધો હતો.પુજા વિધિ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો