નડાબેટ ખાતે BSF ના જવાનો સાથે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી

આજે સમગ્ર વિશ્વમાં આઠમા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દેશમાં અનેક સ્થળોએ યોગ દિવસ ઉજવવામાં આવ્યો છે. બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીએ ભારત-પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે બી.એસ.એફ.ના જવાનો સાથે યોગ દિવસની ઉજવણી કરી હતી. પ્રવાસન સ્થળ તરીકે વિકસેલા નડાબેટ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

               વિશ્વ યોગ દિવસ નિમિત્તે બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નો થકી આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે. આજે  માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક દેશોમાં ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા યોગ શાસ્ત્રને લોકો સ્વીકારતા થયા છે. આજે જ્યારે વિશ્વ યોગ દિવસ છે ત્યારે ભારતના યુવાનો તેમજ દરેક નાગરિક નિત્ય યોગ કરી પોતાના આરોગ્યને નિરોગી બનાવો તેમ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *