કેમ બાળકના વેક્સિનેશમાં ક્યારેય મોડું ના થવું જોઈએ?

  • પેરેન્ટિંગ જીવનના એક એવા પડકારોમાંનું એક છે કે જેના માટે કોઈ ક્યારેય કોઈ પહેલાથી તૈયાર નથી હોતું. ક્યારેક તે જીવનમાં હંગામો મચાવી શકે છે અને જીવનની યાત્રામાં અણધાર્યા વળાંકો સર્જીને તેનો આનંદ વધારી પણ શકે છે. બાળકને મોટું કરવામાં મા-બાપને સૌથી વધુ મદદની જરુર બાળકના વેક્સિનેશન શિડ્યૂલનું પાલન કરવામાં પડે છે. તેની જરુરિયાત અંગેની સમજણ કેળવવી ખૂબ જ જરુરી છે, જેથી બાળકને કોઈ મહત્વની રસી અપાવવાનું ચૂકી ના જવાય. તેમાંય હાલ આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, તેમાં તો તેનું મહત્વ ઓર વધી જાય છે. કોવિડ-19 પ્રસર્યો છે ત્યારથી પેરેન્ટ્સ પોતાના બાળકને રસી અપાવવા હોસ્પિટલમાં લઈ જતા પણ અચકાઈ રહ્યા છે.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા અનુસાર, 80 મિલિયન જેટલા બાળકો ડિપ્થેરિયા, મોટી ઉધરસ અને પોલિયો જેવી ગંભીર બીમારીની રસી લેવાનું ચૂકી ગયા છે. આ રોગો ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે, જોકે વેક્સિન બાળકોમાં તેમની સામે લડવાની શક્તિ વિકસાવે છે. જોકે, રાહતની વાત એ છે કે બાળક જે રસી લેવાનું ચૂકી ગયું હોય તેને ડોક્ટરની સલાહ અનુસાર રિશિડ્યૂલ કરી ફરી અપાવી શકાય છે. લોકડાઉન બાદ શરુ થયેલા અનલોકમાં અનેક છૂટછાટો અપાઈ છે ત્યારે બાળકના વેક્સિનેશનના નિર્ધારિત શિડ્યૂલને ચાલુ રાખવામાં પણ સરળતા વધી છે. જાણો, આખરે કેમ તમારે બાળકના વેક્સિનેશનના શિડ્યૂલને વળગી રહેવું જોઈએ.

વેક્સિનેશન ઈન્ફેક્શન ના ફાયદા …..

વેક્સિનેશન ઈન્ફેક્શનથી લઈને સાદા તેમજ ગંભીર રોગ સામે આપણને રક્ષા આપે છે. બાળકો માટે તે ખૂબ જ જરુરી છે, કારણકે તેનાથી તેમની રોગપ્રતિકારક શક્તિ પણ વિકસે છે. બાળકો 7-8 વર્ષના ના થઈ જાય ત્યાં સુધી તેમની ઈમ્યૂન સિસ્ટમ પૂર્ણપણે નથી વિકસતી, અને તેના કારણે જ તેમને હેલ્ધી તેમજ પોષણયુક્ત જમવાનું અને નિયમિત વેક્સિન અપાવવી ખૂબ જ જરુરી છે. જેથી તેઓ કોમન વાયરસ, બેક્ટેરિયા અને બીજા ઘણા રોગો સામે લડવાની શક્તિ કેળવી શકે.

વેક્સિનેશનનું શિડ્યૂલ કઈ રીતે બનાવવું

  • રોગના ઉપચાર કરતા તેનાથી બચવું વધારે સારું, તેવું આપણે વર્ષોથી માનતા આવ્યા છીએ. વેક્સિનેશન પણ આ જ બાબતને સાચી ઠેરવે છે. બાળકને સમય પર વેક્સિન અપાવવા માટેનું સૌથી પહેલું સ્ટેજ છે તેના માટેનું શિડ્યૂલ તૈયાર કરવું. બાળકના પિડિયાટ્રિશિયનની સલાહ અનુસાર તેને સરળતાથી તૈયાર કરી શકાય છે. આમ તો, બાળક માટે વેક્સિનેશન તેમના જન્મ પહેલા જ તૈયાર થઈ જાય છે. કેટલીક અતિમહત્વની વેક્સિન માતાએ ગર્ભાવસ્થા દરમિયાન જ લેવી જરુરી હોય છે, જેથી માતા બાળકને પ્રેગનેન્સીમાં જ એન્ટીબોડી આપી શકે. આ સિવાય બાળકના જન્મ બાદ તેને અપાવવાની થતી રસીના શિડ્યૂલનું પણ ચૂસ્તપણે પાલન કરવાનું હોય છે.
  •   બાળકને સમયાતંરે જરુરી વેક્સિન અપાતી રહે તે સુનિશ્ચિત કરવાનો સૌથી સરળ રસ્તો પ્રેગનેન્સી વખતે જ ડોક્ટરની સલાહ અને બાળકની જરુરિયાત પ્રમાણે તેનું શિડ્યૂલ તૈયાર કરવાનો છે.

રસી અપાવવાનું રહી જાય તો શું કરશો?

  • મોટાભાગના માબાપના મનમાં હાલના સમયમાં આ સવાલ ચોક્કસ આવતો હશે. ડોક્ટર દ્વારા રસીનું જે શિડ્યૂલ બનાવાય છે તે તેની ઉંમર અને જરુરિયાત અનુસાર હોય છે. અમુક ચોક્કસ ઉંમરે આપવાની થતી ચોક્કસ પ્રકારની રસી બાળકને જે-તે રોગ કે ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. જેથી, જો શિડ્યૂલ પ્રમાણે કોઈ રસી આપવાની ચૂકી જવાય તો શિડ્યૂલ નથી જળવાતું. જોકે, રસી અપાવવાનું જ ટાળવું તેના કરતા મોડેથી પણ રસી અપાવવી વધુ હિતાવહ છે.
  • અનલોકની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે, ત્યારે ડોક્ટરના સંપર્કમાં રહેવું અને બાળકને જે રસી અપાવવાની રહી ગઈ હોય તેને રિશિડ્યૂલ કરવી અને પ્લાનને અપડેટ કરાવવો જરુરી છે. હવે હોસ્પિટલ્સ દર્દીઓ અને મેડિકલ સ્ટાફને ઈન્ફેક્શનથી બચાવવા માટે સેનેટાઈઝેશનથી લઈને પીપીઈ કિટ્સ તેમજ બીજી પણ અનેક તકેદારી રાખી રહી છે. તેવામાં બાળકને રસી અપાવવા માટે હોસ્પિટલ લઈને જવું ઘણું સેફ પણ બન્યું છે. તેવામાં તમારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે તમે વેક્સિનેશનના શિડ્યૂલને વળગ્યા રહો, અને જો કોઈ રસી અપાવવાનું રહી ગયું હોય તો તેને રિશિડ્યૂલ કરાવી લો.

  વેક્સિનેશનનો ડર

  • હોસ્પિટલ જવાનો ડર હાલના સમયમાં વધ્યો છે, ત્યારે એ સમજવું પણ જરુરી છે કે બાળકને રોગોથી સુરક્ષિત રાખવું કેટલું અગત્યનું છે. બાળકોને ઈન્ફેક્શન લાગવાનો સૌથી વધુ ખતરો હોય છે, અને તેમને જો વેક્સિન ન અપાવાય તો આ ખતરો ઓર વધી શકે છે. રસી અપાવવાને લઈને બીજો ડર તેનો શોટ લીધા બાદ બાળકની તબિયત થોડી નરમ થઈ જતી હોય છે તેને લગતો હોય છે. જોકે, નવા સંશોધનો અને મેડિકલ સાયન્સે કરેલી પ્રગતિને કારણે હવે તેનું પ્રમાણ ઘણું ઘટ્યું છે.
  • સિંગલ શોટ વેક્સિનેશન તમારા બાળકને ડિપ્થેરિયા, ધનુર અને ઉંટાટીયા જેવા ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતા ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે. રસી અપાવવા જાઓ ત્યારે તમારે પણ પોતાની અને બાળકની સેફ્ટી માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી જરુરી છે. જેમાં માસ્ક પહેરવાથી લઈને અન્ય પ્રોટેક્ટિવ ગીયર તેમજ કોન્ટેક્ટ સરફેસને સ્ટેરિલાઈઝ કરવી અને જે ડોક્ટર પર તમને વિશ્વાસ હોય તેમને ત્યાં જ જવા જેવી બાબતો સમાવિષ્ટ છે. જેથી, જો તમે બાળકને હાલના સમયમાં રસી અપાવવા જવાનું વિચારી રહ્યા હો, તો ડોક્ટરના સંપર્કમાં રહેવાનો અને શિડ્યૂલને વળગી રહેવાનો આ જ શ્રેષ્ઠ સમય છે.
  • ગ્લેક્સોસ્મિથક્લાઈન ફાર્માસ્યૂટિકલ્સ લિમિટેડ. ડૉ. એનિબેસન્ટ રોડ, વર્લી મુંબઈ 400030 દ્વારા જનહિતમાં જારી. આ લેખમાં અપાયેલી માહિતી માત્ર સામાન્ય જનજાગૃતિ ફેલાવવા માટે છે, તેનો ઉદ્દેશ કોઈ મેડિકલ સલાહ આપવાનો નથી. આપ આપના ફિઝિશિયનની આપની સ્થિતિ અનુસાર સલાહ લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *