
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :બનાસકાંઠા
સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેનાથી વધારે તેના ગેરફાયદાઓ પણ છે. તાજેતર માં બનાસકાંઠાના એક વ્યક્તિએ ફેસબુક પર એવી પોસ્ટ કરી છે. કે જેના કારણે સમગ્ર જીલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી પામી છે. ભાચર ગામના માઘાભાઈ પટેલ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે. જેના કારણે હાલ તેઓ ચર્ચામાં આવી ગયા છે માઘાભાઈએ ફેસબુક પોસ્ટમાં એવો ઉલ્લેખ કર્યો છે કે તેઓ ટૂંક સમયમાં એક નેતાનો વીડિયો અપલોડ કરશે. જે વીડિયો તેઓ અપલોડ કરવાના છે તે વીડિયો આપત્તીજનક છે. તેવો તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે આ વિડીઓ બનાસકાંઠા નેતા નો વિડીઓ છે જે પાલનપુર સર્કીટ હાઉસ ખાતે રંગરેલીયા મનાવતા હોય તેવું ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે વધુમાં માધાભાઈ પટેલે ૧૫ મી ઓગસ્ટ ના દિવસે આ વિડીઓ વાયરલ કરવાની ચીમકી આપી છે પરિણામે તેમની આ પોસ્ટને લઈને બનાસકાંઠામાં હાલ મોટા પાયે રાજકીય હલચલ જોવા મળી રહી છે