ડીસા તાલુકાના ઝેરડા ગામે આજે જૈન સમાજના આચાર્ય તેમના 14 સાધુ પરિવાર સાથે પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ખાસ કરીને જેરડા ખાતે રહેતા જૈન પરિવાર દ્વારા આચાર્ય શ્રી રત્નચંદ્ર સૂરિજી અને આચાર્યશ્રી ઉદયરત્ન સૂરિજી તેમના 14 સાધુ સંતો સાથે જેરડા ગામે પહોંચતા તેમનું જેરડા ખાતે રહેતા જૈન પરિવારો દ્વારા તેમનું સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથોસાથ આચાર્યશ્રીનો ઉપાશ્રયમાં પદાપણ થયા બાદ સાધુ સંતો દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું આ એક દિવસીય ગુરુ ભક્તિ મહોત્સવમાં જિનવાણી જૈન યુવા ગ્રુપ જેરડાના સભ્યોએ તમામ સ્વાગત માટેની વ્યવસ્થા તેમજ મહાજન વેશમાં એકત્રિત કરી માથે સાફા પહેરાવી શાસનની શોભામાં વધારો કરવામાં આવ્યો હતો અને અંતે શ્રી સંઘની વિનંતીને માન આપીને પટેલ પૂજ્યશ્રીનો આભાર વ્યક્ત કરી ગ્રુપ ભક્તો દ્વારા સંઘપૂજન પણ કરવામાં આવ્યું હતું