ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા ૭૦૦ થી વધું તળાવોમાં પણ પાણી નાંખવામાં આવશે

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની નર્મદા મુખ્ય નહેરોમા સાત દિવસ સુધી પ્રતિદિન ૧૭,૦૦૦ ક્યુસેક પાણી છોડવા માટેની તૈયારીઓ શરુ કરવામાં આવી છે. ત્યારે ૧૧ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં ખરીફ પાકની વાવણી સુપેરે ઉપલબ્ધ આ ઉપરાંત બનશે. ઉત્તર ગુજરાતના સુજલામ સુફલામ યોજના અંતર્ગત જોડાયેલા ૭૦૦ થી વધું તળાવોમાં પણ પાણી નાંખવામાં આવશેરાજ્યના જે વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે તેવા તમામ વિસ્તારોમાં નર્મદાના પાણીનો લાભ આપવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા તાજેતરમાં કરમાવત અને મુક્તેશ્વર માટે પણ અલાયદી યોજનાને સૈધ્ધાતિંક મંજૂરીઆપવામાં આવી છે. કરમાવત માટે ત્રણ વિકલ્પોમાંથી એક વિકલ્પ પંસદ કરીને ટૂંક સમયમાં જ સૈધ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે. અંદાજીત રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ૧૧૨ હેક્ટર વિસ્તાર ધરાવતા મોટા તળાવમાં પાણી નાંખીને ૭૦ જેટલા ગામોને લાભાન્વિત કરવાનું સુદ્રઢ આયોજન હાથ ધરાયું છે.ઉત્તર ગુજરાતના ખેડૂતો નર્મદા યોજનાનો મહત્તમ લાભ મેળવીને આ વર્ષે સંતોષકારક પાક મેળવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ શાખા નહેરો અને માઇનોર કેનાલમાં પૂરતા પાણી પહોંચાડીને સિંચાઇનુ પાણી ઉપલબ્ધ કરાવવા પ્રયત્નો હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *