વાવનાં ગોલગામમાં પીવાનું નહિ મળતાં ગ્રામજનોએ થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

  • બે દિવસમાં પીવાનાં પાણીની સમસ્યા હલ નહિ થાય તો ઉપવાસ આંદોલનની ગ્રામજનોની ચીમકી

સરહદી વાવ અને સુઈગામ તાલુકાનાં ગ્રામીણ વિસ્તારોમાં પીવાનાં પાણીનાં અભાવે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.ત્યારે મહિલાઓ સહિત બાળકોને ભરબપોરે પાણી માટે રઝળપાટ કરવી પડે છે.વાવ તાલુકાનાં મુખ્ય દેવપુરા સંપમાંથી ગોલગામ સુધી મુખ્યપાઈપલાઈનમાંથી અનેક બિનકાયદેસર કનેક્શન હોવાનો સરપંચ સહિત ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.અને તા.૨૦/૪/૨૦૨૨ સુધીમાં પીવાનું પાણી નહિ મળે તો ઉપવાસ આંદોલનની ચીમકી ગ્રામજનોએ આપી હતી.ત્યારે થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અને સત્વરે પીવાનાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગણી ગ્રામજનોએ કરી હતીવાવ તાલુકામાં દર વર્ષે ઉનાળાનાં પ્રારંભે જ ટેન્કર રાજની સ્થિતિ સર્જાય છે.મહિલાઓ પીવાનાં પાણી માટે પડાપડી કરતાં હોય એવાં વરવા દ્રશ્યો સર્જાય છે.અને ઘણી વખત તો મહિલાઓ પીવાનું પાણી ભરવા માટે બેડા યુદ્ધ પણ કરે છે.સરહદી વાવ તાલુકામાં પીવાનાં પાણીની પાઈપલાઈન કે ટેન્કર કોન્ટ્રાકટર પદ્ધતિથી પીવાનું પાણી મળે છે.ત્યારે રાજકીય ઓથ ધરાવતાં આવા કોન્ટ્રાક્ટર કે એમની કંપનીઓને બ્લેક લિસ્ટમાં મુકવી જોઈએ અને સરકારે પણ લોકોનું હિત જોવું જોઈએ એવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

  • પીવાનાં પાણીની સમસ્યા અંગે જિલ્લા કલેકટરદ્વારા પરિસ્થિતિનો તાગ મેળવવો જરૂરી

સરહદી વાવ અને સુઈગામ તાલુકાનાં અંતરિયાળ ગામડાઓમાં ભરઉનાળે પીવાનાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. ત્યારે સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિનો તાગ મેળવી કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *