વાવના પ્રતાપપુરા ગામ પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી , સબજેલમાં રહેલા પ્રેમીનું મોત

પાલનપુરની સબજેલમાં રહેલા આરોપીનું મોત.. જેલમાં આરોપીની તબિયત લથડતા સારવાર માટે ખસેડતા રસ્તામાં આરોપીનું મોત… વાવના પ્રતાપપુરા ગામે પોતાની પ્રેમિકાની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જે બાદ આરોપીને અમદાવાદ ખાતે સારવાર કરાવ્યા બાદ તેને પાલનપુર સબજેલમાં ખસેડાયો હતો.જે બાદ આજે તેની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે લઈ જતા રસ્તામાં તેનું મોત થયું હતું… બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ ના પ્રતાપપુરા ખાતે 20 દિવસ અગાઉ લુભાભાઈ માજીરાણા નામ ના શખ્સ એ તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ તેને આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.જે બાદ આ ઘટના ની જાણ આજુબાજુના લોકો થતા તાત્કાલિક પોલીસ ને જાણ કરતા પોલોસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.મૃતક મહિલાની લાશ ને પીએમ અર્થે ખસેડાઇ હતી.જે બાદ ઘાયલ લુભાભાઈ માજી રાણા ને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જે બાદ તેને પાલનપુર સબજેલ માં ખસેડાયો હતો.આજે લુભાભાઈ માજીરાણા ની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા પહેલા રસ્તામાં જ આરોપી લુભાભાઈ માજીરાણા ની મોત નિપજ્યુ હતું.જે બાદ પોલીસે મૃતક ની લાશ ને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાઈ હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *