સરહદી બનાસકાંઠા જિલ્લા ના વાવ તાલુકા મથકે વારંવાર વીજ કાપ કરવામાં આવતા લોકો ત્રાહિ મામ પોકારી ગયા છે.જેથી વાવ શહેર ની પ્રજા તેમજ વીજ કનેક્શન દ્વારા ચાલતા ઉદ્યોગો ને ભારે હાલાકી તેમજ આર્થિક નુકશાન થતું હોય છે ઉલ્લેખનીય છે ગામડા ઓ માંથી આવતા કારીગરો નો મુખ્યત્વે હીરા ઉદ્યોગ થી સંકળાયેલા છે જેથી 100 રૂ થી વધુ રૂપિયા ખર્ચી ને કામે આવતા હોય છે. અને કામે પહોંચતા લાઈટ કાપ હોવાના કારણે ઘરના પણ મુકવા પડે છે જેવી સમસ્યાઓ ને લઈને વાવ હીરા ઉદ્યોગ તેમજ શહેર ના લોકો દ્વારા વાવ ખાતે આવેલ ઉત્તર ગુજરાત વીજ કંપની ની ઓફિસે જાઈ હોબાળો મચાવ્યો હતો.ત્યારબાદ આવેદન પાઠવી તાકીદ કરતા જણાવ્યું હતું કે વારંવાર ખોટી રીતે વીજ કનેક્શન કાપી હેરાન કરવામાં ના આવે નહીંતર સમગ્ર વાવ શહેરમાં ચાલતા હીરા નું કામ કરતા કારીગરો આપની કચેરી એ ભૂખ હડતાળ ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.